શરતોને ધ્યાનમાં રાખીને જગન્નાથ પુરીની રથયાત્રા નીકળશે
ફાઈલ તસવીર
જગન્નાથ પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે શરતો સાથે મંજૂરી આપતા આખરે 23 જૂને રથયાત્રા નીકળશે. .સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, માત્ર પુરીમાં જ યાત્રાની મંજૂરી હશે. ઓરિસ્સામાં ક્યાંય બીજે યાત્રા નહીં નીકળી શકે. એટલું જ નહીં, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ.
Supreme Court has allowed Rath Yatra to be conducted in Puri, Odisha with certain restrictions. https://t.co/MhteNWUapm
— ANI (@ANI) June 22, 2020
ADVERTISEMENT
સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, રથયાત્રા કરોડો લોકોની આસ્થાનો મામલો છે. ભગવાન જગન્નાથ આવતીકાલે બહાર નહીં આવી શક્યા તો પછી 12 વર્ષ સુધી નહીં નીકળી શકે, કારણ કે રથયાત્રાની આ જ પરંપરા છે. એક દિવસનું કર્ફ્યૂ લગાવીને યાત્રા કાઢી શકાય છે. ઓરિસ્સા સરકારે પણ તેનું સમર્થન કર્યું છે કે ઘણી શરતો સાથે રથયાત્રાનું આયોજન થઈ શકે છે. અરજીમાં અપીલ કરવામાં આવી છે કે રથયાત્રાને બદલાયેલા રૂપમાં કાઢવાની મંજૂરી આપવા અંગે વિચારણા કરવામાં આવે. પુરી શહેરને ટોટલ શટડાઉન કરો અને જિલ્લામાં બહારના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવીને યાત્રા કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, જો સરકાર સંપૂર્ણ સાવચેતી રાખીને રથયાત્રા યોજે છે, તો તેમને કોઈ વાંધો નથી. આના પર કોર્ટે આદેશ જારી કરવામાં સમય લીધો હતો. આ પછી સીજેઆઈ એસએ બોબડેએ ત્રણ સભ્યોની બેંચની રચના કરી હતી જેને આજે સુનાવણી કરી અને શરતો સાથે રથયાત્રાને મંજૂરી આપી છે.
પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્વલાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે, આ મામલા અંગે ફરી વિચારણા કરવામાં આવે. તેમણે પુરી મઠથી આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, કોઈની એવી ભાવના હોઈ શકે છે કે જો આવા સંકટમાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તો ભગવાન જગન્નાથ ક્યારે માફ નહીં કરે, પરંતુ સદીઓ જૂની પરંપરા તોડીશું તો શું ભગવાન માફ કરશે?
સુપ્રીમ કોર્ટે 18 જૂને રથયાત્રા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયમાં કહ્યું હતું કે, કોરોના મહામારીના સમયે યાત્રાની મંજૂરી આપીશું તો ભગવાન જગન્નાથ આપણને ક્યારે માફ નહીં કરે. કોર્ટે કહ્યું હતું કે, જ્યારે મહામારી ફેલાઈ હોય, ત્યારે એવી યાત્રાને મંજૂરી ન આપી શકાય, જેમાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો થતો હોય. લોકોના સ્વાસ્થ્ય અને તેમની સુરક્ષા માટે આ વર્ષે યાત્રા ન થવી જોઈએ.