લોકોમાં ડર, અફરાતફરીનો માહોલ કોરોના કરતાં પણ વધુ ખતરનાક: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ
કોરોના વાઇરસના કારણે દેશમાં ૨૧ દિવસનું સજ્જડ લૉકડાઉન છે. આ બધા વચ્ચે કોરોના સામે યુદ્ધ સ્તરે લડાઈ લડી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજૂરોનું પલાયન એક મોટી મુસીબત બની ગઈ છે. મજૂરોના પલાયન મામલે સુનાવણી કરતાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોનું પલાયન રોકવું જ પડશે.
દિલ્હીથી પલાયન કરતા મજૂરોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી પર આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના વાઇરસ કરતા પણ વધુ ખતરો લોકોમાં ડર અને અફરાતફરીના માહોલનો છે. કોર્ટે કેન્દ્ર પાસે ઍફિડેવિટ દાખલ કરીને સરકાર દ્વારા ઉઠાવાયેલાં પગલાંની જાણકારી માગી છે.
ADVERTISEMENT
કોર્ટે કહ્યું કે અમે આ અરજીને વિરોધાત્મક માનતા નથી, પરંતુ આ અરજીનો એ પ્રકારે પ્રચાર ન થવો જોઈએ કે કોર્ટ પલાયનને મંજૂરી આપવા માટે કોઈ તરકીબ કાઢશે. પલાયનને તો રોકવું જ પડશે. જેના પર હવે આગામી સુનાવણી આજે થશે.
અત્રે જણાવવાનું કે અરજીમાં પલાયન કરી રહેલા મજૂરોને ભોજન અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી છે. આ સાથે જ બધાને તરત સરકારી ઇમારતોમાં આશ્રય આપવાની માગણી પણ અરજીમાં કરાઈ છે.