Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લોકોમાં ડર, અફરાતફરીનો માહોલ કોરોના કરતાં પણ વધુ ખતરનાક: સુપ્રીમ કોર્ટ

લોકોમાં ડર, અફરાતફરીનો માહોલ કોરોના કરતાં પણ વધુ ખતરનાક: સુપ્રીમ કોર્ટ

31 March, 2020 11:18 AM IST | New Delhi
Agencies

લોકોમાં ડર, અફરાતફરીનો માહોલ કોરોના કરતાં પણ વધુ ખતરનાક: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ


કોરોના વાઇરસના કારણે દેશમાં ૨૧ દિવસનું સજ્જડ લૉકડાઉન છે. આ બધા વચ્ચે કોરોના સામે યુદ્ધ સ્તરે લડાઈ લડી રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે મજૂરોનું પલાયન એક મોટી મુસીબત બની ગઈ છે. મજૂરોના પલાયન મામલે સુનાવણી કરતાં ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકોનું પલાયન રોકવું જ પડશે.

દિલ્હીથી પલાયન કરતા મજૂરોને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી પર આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોરોના વાઇરસ કરતા પણ વધુ ખતરો લોકોમાં ડર અને અફરાતફરીના માહોલનો છે. કોર્ટે કેન્દ્ર પાસે ઍફિડેવિટ દાખલ કરીને સરકાર દ્વારા ઉઠાવાયેલાં પગલાંની જાણકારી માગી છે.



કોર્ટે કહ્યું કે અમે આ અરજીને વિરોધાત્મક માનતા નથી, પરંતુ આ અરજીનો એ પ્રકારે પ્રચાર ન થવો જોઈએ કે કોર્ટ પલાયનને મંજૂરી આપવા માટે કોઈ તરકીબ કાઢશે. પલાયનને તો રોકવું જ પડશે. જેના પર હવે આગામી સુનાવણી આજે થશે.


અત્રે જણાવવાનું કે અરજીમાં પલાયન કરી રહેલા મજૂરોને ભોજન અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માગણી કરવામાં આવી છે. આ સાથે જ બધાને તરત સરકારી ઇમારતોમાં આશ્રય આપવાની માગણી પણ અરજીમાં કરાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

31 March, 2020 11:18 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK