Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ

હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ

12 December, 2019 02:59 PM IST | New Delhi

હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યા તપાસના આદેશ

સુપ્રીમ કોર્ટ (File Photo)

સુપ્રીમ કોર્ટ (File Photo)


સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસના કેટલાક તત્વો છે જેમની તપાસ થવી જોઈએ. પોલીસે કોર્ટને કહ્યું કે, આરોપીની ઓળખ પર કોઈ શંકાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. તેલંગાણા પોલીસ તરફથી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી કોર્ટમાં ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સમક્ષ દલીલો રજૂ કરી રહ્યા હતાં.





વાંચો મુદ્દા સહિત સુપ્રીમ કોર્ટની સુનાવણી

- મુખ્ય ન્યાયાધીશઃ અમે એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ કરવા ઇચ્છીએ છીએ.

- મુકુલ રોહતગી (તેલંગાણા પોલીસના વકીલ): અમે આ મામલે તપાસનો વિરોધ કરતા નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂંક કરી હતી. તપાસની દેખરેખ માટે તેમની નિમણૂંક કરવામાં આવી છે.

- મુખ્ય ન્યાયાધીશ: તપાસના પરિણામોનું મૂલ્યાંકન સમિતિ દ્વારા થવું જોઈએ.

- રોહતગીએ એવા બનાવો ટાંક્યા જેમાં નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કોઈ સમાંતર અજમાયશ ન થવી જોઇએ.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

- મુખ્ય ન્યાયાધીશ: જો તમે નિર્દોષ છો તો લોકોને સત્ય જાણવું જોઈએ. આપણે તથ્યોની કલ્પના નથી કરી શકતા.

- મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, પોલીસે FIR દાખલ કરી છે કે આરોપીઓએ તેમને ગોળી મારીને હત્યાના પ્રયાસ કર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 December, 2019 02:59 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK