Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સબરીમાલા કેસઃ કેરળ સરકારને નવો કાયદો બનાવવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સબરીમાલા કેસઃ કેરળ સરકારને નવો કાયદો બનાવવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

21 November, 2019 12:28 PM IST | New Delhi

સબરીમાલા કેસઃ કેરળ સરકારને નવો કાયદો બનાવવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

સબરીમાલા

સબરીમાલા


સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા દ્વારા તાજેતરમાં લેવાયેલા બહુમતી નિર્ણયમાં સબરીમાલા મંદિરમાં તમામ વય જૂથોની મહિલાઓના પ્રવેશને લગતી ટોચની વ્યક્તિઓ સહિત સાત ન્યાયાધીશોની મોટી બેન્ચને આ મામલો સોંપવામાં આવ્યો છે. કોર્ટના ૨૦૧૮ના નિર્ણય પર પુનર્વિચારણા કરવા માગણી કરવામાં આવી હતી.
કેરળનું પ્રખ્યાત સબરીમાલા મંદિર ૧૭ નવેમ્બરે ભક્તો માટે ખોલવામાં આવ્યું છે અને મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને, સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરમ્યાન કેરળના સ્થાયી સલાહકારો દ્વારા સુપ્રીમ કોર્ટની વાતચીતની જાણકારી એક સમાચાર સંસ્થાને આપવામાં આવી હતી.
તેઓએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિર પર નવો કાયદો લાવવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો શક્ય હોય તો ટૂંક સમયમાં સબરીમાલા પર નવો કાયદો લાવવો જોઈએ. કોર્ટે કાયદો લાવવા માટે સરકારને આવતા વર્ષના જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધીનો સમય આપ્યો છે ત્યાં સુધી સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગયા વર્ષે ઑગસ્ટમાં કોર્ટે કેરળ સરકારને સબરીમાલા મંદિર માટે નવો કાયદો લાવવા કહ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે ત્રાવણકોર-કોચીન ધાર્મિક સંસ્થા અધિનિયમનો મુસદ્દો રજૂ કરી દીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2019 12:28 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK