Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રજનીકાન્ત 31ડિસેમ્બરે કરશે રાજનૈતિક પાર્ટીની જાહેરાત,જાન્યુઆરીમાં લૉન્ચ

રજનીકાન્ત 31ડિસેમ્બરે કરશે રાજનૈતિક પાર્ટીની જાહેરાત,જાન્યુઆરીમાં લૉન્ચ

03 December, 2020 02:51 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

રજનીકાન્ત 31ડિસેમ્બરે કરશે રાજનૈતિક પાર્ટીની જાહેરાત,જાન્યુઆરીમાં લૉન્ચ

રજનીકાન્ત (ફાઇલ ફોટો)

રજનીકાન્ત (ફાઇલ ફોટો)


દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર રજનીકાન્તે આખરે પોતાની રાજનૈતિક પાર્ટીને લઈને જાહેરાત કરી છે. ગુરુવારે રજનીકાન્તે એક ટ્વીટ કરીને જણાવ્યું કે 31 ડિસેમ્બરે પોતાની રાજનૈતિક પાર્ટીની જાહેરાત કરશે. એટલે કે તેમની પાર્ટી જાન્યુઆરીમાં લૉન્ચ થશે.

ન્યૂઝ એજન્સી એએનઆઇએ પણ આ વાતની માહિતી આપી છે.




આ પહેલા સોમવારે રજનીકાન્તે પોતાની પાર્ટી રજની મક્કલ મંદરમ જિલ્લા સચિવો સાથે સાથે મુલાકાત કરી હતી અને કહ્યું કે તે ટૂંક સમયમાં જ પોતાની રાજનૈતિક પાર્ટી શરૂ કરવા વિશે માહિતી આપશે. તેમણે જિલ્લા સચિવો સાથે આ મીટિંગ ત્યારે કરી હતી, જ્યારે તેમના સમર્થકોએ તેમને ચૂંટણીના રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી.


તાજેતરમાં જ તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં રજનીના પોસ્ટર સામે આવ્યા હતા. આમાં તેમને રાજકારણથી દૂર રહેવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો. આવું જ એક પોસ્ટર 'વેલ્લોર સિટિઝન્સ વિશિંગ ફૉર એ ચેન્જ'નો સામે આવ્યો હતો.

જો કે, વિચાર-વિમર્શ પછી તેમણે રાજનૈતિક પાર્ટીની જાહેરાત કરવાનો નિર્ણય લીધો છે. તેમનો આ નિર્ણય ત્યારે આવ્યો છે જ્યારે તામિલનાડુમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે.

રજનીકાન્તની આ પહેલા ઘણીવાર પૉલિટિક્સમાં આવવાની અટકળો લાગી છે. ઘણીવાર તેમના બીજેપીમાં સામેલ થવાની વાતો પણ કહેવામાં આવી છે, પણ રજનીકાન્ત અત્યાર સુધી આ બાબતને લઈને સ્પષ્ટ નહોતા.

Whatsapp-channel Whatsapp-channel

03 December, 2020 02:51 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK