Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સુનીલ શેટ્ટીની પોલ ખૂલી

સુનીલ શેટ્ટીની પોલ ખૂલી

23 December, 2011 06:29 AM IST |

સુનીલ શેટ્ટીની પોલ ખૂલી

સુનીલ શેટ્ટીની પોલ ખૂલી




અકેલા





મુંબઈ, તા. ૨૩

સુધરાઈએ આ મામલે તેને કામ રોકી દેવાનો આદેશ પણ આપ્યો હતો. ૨૦૦૬માં સુનીલ શેટ્ટીને લૅન્ડલૉર્ડે માત્ર રિપેરિંગ કરવા માટે જ એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપ્યું હતું, પરંતુ સુનીલ શેટ્ટીએ પિલરને નુકસાન પહોંચાડીને ત્યાં શોરૂમ ઊભો કર્યો હતો. આઘાતજનક વાત એ હતી કે ૨૦૧૧ની ૩ ઑગસ્ટે સુધરાઈએ સુનીલ શેટ્ટીને કામ રોકવા માટે નોટિસ પણ આપી હતી, પરંતુ સુધરાઈની નોટિસની પરવા કર્યા વગર કામ પુરજોશમાં ચાલુ હતું. ફરિયાદ મુજબ વરલીના જીજામાતાનગરમાં જ્યાં અગાઉ બ્રૉડવે રેસ્ટોરાં હતી ત્યાં હવે ફર્નિચરનો શોરૂમ બાંધવામાં આવી રહ્યો છે. જોકે સુધરાઈના અધિકારીઓ પણ આ મામલામાં ચોખ્ખા નથી. તેઓ માત્ર નોટિસ મોકલીને બેસી રહ્યા હતા. આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અસદ પટેલે આ મામલે અધિકારીઓનો જવાબ માગતાં કહેવામાં આવ્યું કે લીગલ કામ કરને કા વક્ત નહીં મિલતા તો ઇલીગલ કામ કહાં સે દેખું. નવાઈની વાત એ છે કે સુધરાઈએ સુનીલ શેટ્ટીને માહિતી લીક કરતાં અસદ પટેલ પર ૨૩ નવેમ્બરે સુનીલ શેટ્ટીનો ફોન પણ આવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે હું અઢી વર્ષથી પરમિશન માગું છું, પણ મળી નથી.

Whatsapp-channel Whatsapp-channel

23 December, 2011 06:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK