મતગણતરી હોવાથી રવિવારે ડ્રાય ડે
એવી જ રીતે હવે રવિવારના રોજ થનારી મતગણતરી વખતે પરિણામો જાણવા લોકોની ભીડ જામી શકે છે અને એને કારણે કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં એ માટે દારૂનું વેચાણ બંધ રાખવામાં આવશે. ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને નહીં એ માટે મોટા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવશે.