Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વાવ: પ્રેમી પંખીડાઓનો અપઘાત

વાવ: પ્રેમી પંખીડાઓનો અપઘાત

16 January, 2019 01:47 PM IST |
Dirgha Media News Agency

વાવ: પ્રેમી પંખીડાઓનો અપઘાત

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જાણકારી મુજબ વાવ તાલુકાના દેવપુરા નજીકથી પસાર થતી મેઈન કેનાલમાં ગત રોજ પ્રેમી પંખીડાએ જંપલાવતા મોત નીપજ્યું હતું જેની જાણ લોકોને થતાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

દેવપુરા નજીકથી પસાર થતી મેઈન કેનાલમાં કાલે એક પ્રેમી પંખીડાએ અપઘાત કર્યાની જાણ થતાં કેનાલ ઉપર મોબાઈલ, પાકીટ સહિત વસ્તુ મળી આવતા લોકોના ટોળે ટોળા કેનાલ ઉપર દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલિસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી. મૂર્તદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરતાં થરાદ નગરપાલિકાના ભારે જહેમત બાદ મોડે પ્રેમી પંખીડાનો મૂર્તદેહ મળી આવ્યાં હતા.



આ પણ વાંચો : સોમનાથમાં મળશે ફક્ત શાકાહારી ભોજન, નોન-વેજ પર પ્રતિબંધ


જુના ભાભરમાં રહેતા પરેશભાઈ ભારાભાઈ તેમજ યુવતી વસંતા બેન ઉર્ફે કાળીબેન રમેશભાઈ તાલુકો સરસ્વતીમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વાવ પોલીસે વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે વાવ રેફરલ ખાતે ખસેડાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2019 01:47 PM IST | | Dirgha Media News Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK