Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ: મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાની સાથે કોંગ્રેસનો પણ વિરોધ

રાજકોટ: મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાની સાથે કોંગ્રેસનો પણ વિરોધ

08 May, 2019 02:56 PM IST | રાજકોટ

રાજકોટ: મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાની સાથે કોંગ્રેસનો પણ વિરોધ

રાજકોટમાં સર્જાયું ઘર્ષણ(તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા)

રાજકોટમાં સર્જાયું ઘર્ષણ(તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા)


શહેરના જાહેરમાર્ગ પર આવેલા શેરડીના રસના ચીચોડા બંધ કરવાની સૂચના રાજકોટની જગ્યા રોકાણ શાખાએ આપી છે.  અને ચીચોડાઓને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના આ નિર્ણયનો રસનો ચીચોડો ધરાવતા વેપારીઓએ વિરોધ કર્યો. તેઓ મહાનગપાલિકાની કચેરીએ પહોંચ્યા અને શાસકો સામે સૂત્રોચ્ચાર કર્યા. આ સમયે પોલીસ આવી જતા ઘર્ષણ પણ સર્જાયું.
 
કોંગ્રેસ પણ જોડાયું વિરોધમાં
કોંગ્રેસની આગેવાનીમાં રસનો ચીચોડો ધરાવતા વેપારીઓ મનપા કચેરીએ ગયા હતા. જે દરમિયાન ત્યાં પોલીસ દોડી આવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

શું છે મામલો?
શહેરની ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મનપા પ્રયાસ કરી રહ્યું છે. જે અંતર્ગત મનપા જાહેર માર્ગો પરના ચીચોડા બંધ કરાવી રહ્યું છે. RMCના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2019 02:56 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK