રાજકોટ: મનપાના નિર્ણય સામે ચીચોડાવાળાની સાથે કોંગ્રેસનો પણ વિરોધ
રાજકોટમાં સર્જાયું ઘર્ષણ(તસવીર સૌજન્યઃ બીપીન ટંકારિયા)
શહેરના જાહેરમાર્ગ પર આવેલા શેરડીના રસના ચીચોડા બંધ કરવાની સૂચના રાજકોટની જગ્યા રોકાણ શાખાએ આપી છે. અને ચીચોડાઓને દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મનપાના આ નિર્ણયનો રસનો ચીચોડો ધરાવતા વેપારીઓએ વિરોધ કર્યો. તેઓ મહાનગપાલિકાની કચેરીએ પહોંચ્યા અને શાસકો સામે સૂત્રોચ્ચાર કર્યા. આ સમયે પોલીસ આવી જતા ઘર્ષણ પણ સર્જાયું.
કોંગ્રેસ પણ જોડાયું વિરોધમાં
કોંગ્રેસની આગેવાનીમાં રસનો ચીચોડો ધરાવતા વેપારીઓ મનપા કચેરીએ ગયા હતા. જે દરમિયાન ત્યાં પોલીસ દોડી આવતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.
શું છે મામલો?
શહેરની ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મનપા પ્રયાસ કરી રહ્યું છે. જે અંતર્ગત મનપા જાહેર માર્ગો પરના ચીચોડા બંધ કરાવી રહ્યું છે. RMCના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.