Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વિદ્યાર્થીઓએ ધારાસભ્યના ઘરે જઈ કહ્યુ:આચાર્યની બદલી થઈ તો આત્મહત્યા કરશુ

વિદ્યાર્થીઓએ ધારાસભ્યના ઘરે જઈ કહ્યુ:આચાર્યની બદલી થઈ તો આત્મહત્યા કરશુ

14 December, 2019 10:50 AM IST | Sabarkantha

વિદ્યાર્થીઓએ ધારાસભ્યના ઘરે જઈ કહ્યુ:આચાર્યની બદલી થઈ તો આત્મહત્યા કરશુ

File Photo

File Photo


(જી.એન.એસ.) સ્કૂલમાં ગુરુ-શિષ્યોના સંબંધો અને લાગણીઓના અનેક કિસ્સા વારતહેવારે સામે આવતા હોય છે. અનેક વાર એવું જોવા મળે છે કે શિક્ષકોની બદલીના કારણે વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડે અને તેમને સ્કૂલ ન છોડવા આજીજી કરે. આવો જ એક કિસ્સો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં બન્યો છે. જોકે અહીં સ્કૂલમાંથી બદલી થનારા આચાર્યની બદલી ન થાય એ માટે વિદ્યાર્થીઓએ ધારાસભ્યને રજૂઆત કરી છે.

વિદ્યાર્થીઓ હાથમાં માતાજીના ફોટો અને બૅનર લઈને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓના હાથમાં બૅનર હતાં જેમાં લખેલું હતું કે અમારા આચાર્યની બદલી થશે તો અમે આત્મહત્યા કરીશું. આજે વહેલી સવારે પ્રાંતિજની મૌછા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ૭ વાગ્યે ગજેન્દ્રસિંહ પરમારના ઘરે પહોંચી ગયા હતા. તેઓ આ વિસ્તારના યુવાન ધારાસભ્ય છે. ધારાસભ્યે પણ વિદ્યાર્થીઓને આવકાર્યા અને તેમની રજૂઆત સાંભળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 10:50 AM IST | Sabarkantha

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK