હથિયાર ભરેલી ટ્રક લઈ જઈ રહેલા ત્રણ આતંકવાદી ઠાર
ત્રણ આતંકવાદીને ઠાર કર્યા બાદ તેમના શબ લઈ જતા સીઆરપીએફના જવાનો. તસવીર : પીટીઆઇ
જમ્મુ-કાશ્મીર હાઇવે પર હથિયારો ભરેલી ટ્રક લઈને જઈ રહેલા આતંકવાદીઓએ સીઆરપીએફ પોસ્ટ પાસે સિક્યૉરિટી પર ગોળીબાર કરતાં સિક્યૉરિટીએ કરેલા વળતા ગોળીબારમાં ત્રણ આતંકવાદી ઠાર થયા હતા. સીઆરપીએફનો એક જવાન પણ ઈજા પામ્યો હતો. આ આતંકવાદીઓ ટ્રકમાં છુપાઇને કાશ્મીર ખીણ વિસ્તારમાં મોટો હુમલો કરવાના હોવાની બાતમી મળી હતી. જમ્મુ-કાશ્મીરમાં ઘૂસવાના એમના પ્રયાસને સિક્યૉરિટીએ નિષ્ફળ બનાવ્યો હતો અને ખાસ્સી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં હતાં.