Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીલંકામાં મસ્જિદ પર હુમલાઓ પછી ફેસબુક-વૉટ્સઍપ પર પ્રતિબંધ

શ્રીલંકામાં મસ્જિદ પર હુમલાઓ પછી ફેસબુક-વૉટ્સઍપ પર પ્રતિબંધ

14 May, 2019 08:21 AM IST | કોલંબો
(જી.એન.એસ.)

શ્રીલંકામાં મસ્જિદ પર હુમલાઓ પછી ફેસબુક-વૉટ્સઍપ પર પ્રતિબંધ

ફેસબુક-વૉટ્સઍપ

ફેસબુક-વૉટ્સઍપ


ચિલાઉ વિસ્તારમાં એક ફેસબુક પોસ્ટ પર શરૂ થયેલા વિવાદ બાદ સ્થાનિક લોકોએ ત્રણ મસ્જિદ અને મુસ્લિમ નાગરિકની દુકાનો પર હુમલા કર્યા હતા. આ ઘટના બાદ સરકારે ફેસબુક, વૉટ્સઍપ સહિત અનેક સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે પણ આ ઘટના બાદ વિસ્તારમાં સોમવાર સવાર સુધી કરફ્યુ લગાવી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પથ્થરમારો કર્યો એ પહેલાં લોકોએ એક વ્યક્તિની સાથે મારપીટ પણ કરી હતી.

શ્રીલંકામાં ૨૧ એપ્રિલે ઈસ્ટરના દિવસે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા, જેમાં ૨૫૧ લોકો માર્યા ગયા હતા. મુસ્લિમોનું કહેવું છે કે આ ઘટના બાદ તેમને દેશભરમાં લોકોને હેરાન કરવાની ફરિયાદો મળી રહી છે. તો શ્રીલંકા પોલીસ પ્રવક્તા રુવાન ગુણશેખરે કહ્યું કે ભડકાઉ ફેસબુક પોસ્ટ લખનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.



આ પણ વાંચો : એક નાનકડી ભૂલ અને મહિલાને હાથ લાગ્યો જેકપોટ, લૉટરીમાં જીતી ગઇ 54 લાખ


એક ફેસબુક પોસ્ટના આધારે જણાવ્યું કે આ પોસ્ટ પર વિવાદ થયા બાદ જ મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો છે. પોસ્ટમાં કમેન્ટ લખી હતી કે અમને કોઈ રડાવી નહીં શકે. આ પોસ્ટ પર અબ્દુલ હમીદ મોહમ્મદ હસમર નામની વ્યક્તિએ જવાબ આપ્યો કે વધારે ન હસો, એક દિવસ તમે રડશો. બે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે ૩૮ વર્ષના હસમરની પોલીસે ધરપકડ કરી લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2019 08:21 AM IST | કોલંબો | (જી.એન.એસ.)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK