Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બીજેપી મારું ભગવાકરણ કરવાનો પ્રયત્ન કરે છેઃ રજનીકાંત

બીજેપી મારું ભગવાકરણ કરવાનો પ્રયત્ન કરે છેઃ રજનીકાંત

09 November, 2019 10:05 AM IST | Chennai

બીજેપી મારું ભગવાકરણ કરવાનો પ્રયત્ન કરે છેઃ રજનીકાંત

વડાપ્રધાન મોદી અને રજનીકાંત

વડાપ્રધાન મોદી અને રજનીકાંત


ફિલ્મ અભિનેતા રજનીકાંતે શુક્રવારે બીજેપી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે તેઓ મને ભગવા રંગમાં રંગવા ઈચ્છે છે. તેમણે તમિલ કવિ તિરુવલ્લુવરની સાથે પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સત્ય હકીકત એ છે કે ન તો તિરુવલ્લુવર અને ન તો હું તેમની જાળમાં ફસાઈશું. અયોધ્યા મામલે તેમણે લોકોને કહ્યું કે કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ અને શાંતિ જાળવવી જોઈએ.
ફિલ્મ અભિનેતા કમલ હાસન અને રજનીકાંતે ચેન્નઈમાં શુક્રવારે રાજકમલ ફિલ્મ ઈન્ટરનૅશનલના નવા કાર્યાલયમાં દિવંગત ફિલ્મ નિર્દેશક કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમ્યાન રજનીકાંતે કહ્યું કે તિરુવલ્લુવરને ભગવો પહેરાવવો બીજેપીનો એજન્ડા હતા. અમુક લોકો અને મીડિયા એવું દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હું બીજેપીનો માણસ છું, પરંતુ આ વાત સાચી નથી. સાથ આપીશ તો તે રાજકીય પક્ષ ખુશ થઈ જશે પરંતુ તે નિર્ણય લેવાનું મારા ઉપર છે. કમલ હાસને કહ્યું કે એક જ સમયે અમે બન્નેએ નિર્ણય લીધો છે કે અમે (હું અને રજનીકાંત) એકબીજાનું સન્માન કરીશું.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2019 10:05 AM IST | Chennai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK