સાઉથ સ્ટાર રજનીકાંતે આપી રાહુલ ગાંધીને સલાહ
રજનીકાંતે આપી રાહુલ ગાંધીને સલાહ
લોકસભા ચૂંટણી 2019માં ભારતીય જનતા પાર્ટીની જીતને સાઉથ સ્ટાર રજનીકાંતે પ્રચંડ જીત ગણાવી છે. આ સાથે જ રજનીકાંતે રાહુલ ગાંધીને રાજીનામું ન આપવાની સલાહ આપી છે. મીડિયા સાથે વાત કરતા રજનીકાંતે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણીની જીત એક વ્યક્તિની જીત હોય તો તે નરેન્દ્ર મોદી છે. આ જીત એક કરિશ્માઈ નેતાની જીત છે, પરંતુ કોન્ગ્રેસની હાર પછી રાહુલ ગાંધીએ રાજીનામું આપવું જોઈએ નહી તેમણે લડવું જોઈએ.
રજનીકાંતે કહ્યું હતું કે, 'રાહુલ ગાંધીએ પોતાની જાતને સાબિત કરવી જોઈએ, લોકતંત્રમાં વિપક્ષનું મજબૂત હોવું જરૂરી છે જેની માટે રાહુલ ગાંધીએ મજબુતીથી ઉભા રહેવું જોઈએ. જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંઘી અને અટલ બિહારી વાજપેયી પછી લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા અને તે લોકો સાથે કનેક્ટ થવામાં સફળ રહ્યાં. હવે તેમનાથી હારીને રાહુલ ગાંધીએ રાજીનામું ન આપવુ જોઈએ.'
ADVERTISEMENT
આ પણ વાંચો: દુષ્કાળથી ઝઝૂમી રહેલા મહારાષ્ટ્ર પર થશે કૃત્રિમ વરસાદ
'હું માનું છું કે યુવા નેતા તરીકે પોતાના જ સિનિયર્સને સંભાળવા મુશ્કેલ છે, પરંતુ રાહુલ ગાંધીને આ બધી વસ્તુઓ માટે લડવુ જોઈએ. ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ કોઈ કસર છોડી નથી પરંતુ કોન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ એકજૂટ થઈને કામ નહોતું કર્યું. મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પર તેમણે કહ્યું હતું કે, તે શપથ ગ્રહણમાં હાજરી આપશે.' રજનીકાંતે હાલમાં જ પાર્ટીનું નિર્માણ કર્યું હતું.