કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જન્મદિવસ નહીં ઊજવે
સોનિયા ગાંધી
દેશના વિભિન્ન ભાગોમાં મહિલાઓ સાથે બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ સોમવારે પોતાનો જન્મદિવસ નહીં ઊજવે કેમ કે તેઓ આ પ્રકારની ઘટનાઓથી દુઃખી છે. સોમવારે સોનિયા ગાંધી ૭૩ વર્ષનાં થઈ જશે.
સૂત્રોએ જણાવ્યું કે દેશના વિભિન્ન ભાગોમાં બળાત્કારની અલગ-અલગ ઘટનાઓથી કૉન્ગ્રેસ અધ્યક્ષ દુઃખી છે અને આ કારણે તેઓ સોમવારે પોતાનો જન્મદિવસ ઊજવશે નહીં.
સોનિયા ગાંધીનો આ નિર્ણય ઉન્નાવ બળાત્કાર પીડિતાને સળગાવવા અને દિલ્હીની હૉસ્પિટલમાં તેના મોત થયા બાદ આવ્યો છે. આ પહેલાં હાલમાં જ હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ કરાયા બાદ સળગાવીને તેની હત્યા કરી દેવામાં આવી હતી.