Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જુનાગઢ: પિતાની નશાની આદતથી કંટાળ્યો હતો પુત્ર, કરી નાખી હત્યા

જુનાગઢ: પિતાની નશાની આદતથી કંટાળ્યો હતો પુત્ર, કરી નાખી હત્યા

09 January, 2019 01:21 PM IST | જુનાગઢ

જુનાગઢ: પિતાની નશાની આદતથી કંટાળ્યો હતો પુત્ર, કરી નાખી હત્યા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ગુજરાતમાં આવેલા જુનાગઢના પ્લાસવા ગામે ગઈકાલે મોડી રાતે એક પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી. મોડી રાત્રે પિતા માધાભાઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવી રહેલા પુત્ર ભરતે તેમને છુટ્ટો પથ્થર માર્યો હતો. લોહી નીકળતી હાલતમાં માધાભાઈને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. જણાવવામાં આવ્યું છે કે પુત્ર તેના પિતાની નશાની આદતથી કંટાળી ગયો હતો અને એટલે તેણે આ પગલું ભર્યું હતું. ઘટનાને પગલે ભરતની માતાએ પતિની હત્યા અંગે પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા માધાભાઈ મંગાભાઈ મહિડા (ઉ. 52) નામનાં એક વૃદ્ધ મોડી રાત્રે પોતાને ઘરે જઇ રહ્યા હતા. એ વખતે તેમનો પુત્ર ભરત તેમને રસ્તામાં ગામનાં રામાપીરનાં મંદિર પાસે મળી ગયો હતો. ભરતે માધાભાઇને માથામાં પથ્થરનો ઘા ઝીંકી દેતાં તેઓ લોહી નીકળતી હાલતમાં ત્યાં જ પડી ગયા હતા. આસપાસના લોકોએ તેમને જોયાં અને 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.



બનાવ અંગે મૃતકનાં પત્ની મંજુબેને પોતાનાં પુત્ર ભરત સામે પિતાની માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યા કર્યાની ફરિયાદ તાલુકા પોલીસમાં નોંધાવી છે.


આ પણ વાંચો: મહેસાણાઃ જમીન મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2019 01:21 PM IST | જુનાગઢ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK