Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં આગથી ૫૪નાં મોત

તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં આગથી ૫૪નાં મોત

05 September, 2012 09:14 AM IST |

તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં આગથી ૫૪નાં મોત

તામિલનાડુમાં ફટાકડા બનાવતી ફૅક્ટરીમાં આગથી ૫૪નાં મોત


shivakashi

 



તામિલનાડુમાં ફટાકડા બનાવવાના ઉદ્યોગ માટે જાણીતા શિવાકાશીમાં ગઈ કાલે એક ફાયરવર્ક્સ યુનિટમાં આગ ફાટી નીકળતાં ૫૪ લોકો જીવતા સળગી મર્યા હતા, જ્યારે ૫૦થી વધારે દાઝ્યા હતા. ઈજાગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધશે એવી શંકા છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે ઓમશક્તિ ફાયરવર્કર્સ નામની ફૅક્ટરીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી ફટાકડાનું ઉત્પાદન વધારી દેવામાં આવ્યું હતું. દુર્ઘટના સર્જાઈ ત્યારે ફૅક્ટરીમાં ૩૦૦ લોકો કામ કરી રહ્યા હતા. આગ ફાટી નીકળ્યાં બાદ ધસી આવેલા ૧૦ જેટલી ટીમના ફાયર-ફાઇટરોએ મહામહેનતે અનેકને બચાવ્યા હતા.

આગ એટલી તો ભીષણ હતી કે ફૅક્ટરીના ૪૮ જેટલા શેડ ભસ્મીભૂત થઈ ગયા હતા. ફાયર-ફાઇટરોએ કહ્યું હતું કે ફટાકડા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા નવી જાતના કેમિકલને કારણે ઘટ્ટ અને ગૂંગળામણ પેદા કરે એવો ધુમાડો નીકળ્યો હતો જેને કારણે ફસાયેલા લોકોને બચાવવાનું કામ મુશ્કેલ બન્યું હતું. આગની જ્વાળાઓ દોઢ કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2012 09:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK