સાયનનાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ગુરૂકૃપાના માલિકનું 76 વર્ષે નિધન
ગુરૂકૃપા, સાયન, તસવીર પ્રદીપ ધીવાર
સાયનનાં પ્રતિષ્ઠિત ગુરુકૃપા રેસ્ટોરન્ટનાં માલિક વિશિનદાસ વધવા, ઉંમર 76નું બુધવારે રાત્રે અવસાન થયું. 1967થી આ રેસ્ટોરન્ટ તેના મજેદાર સ્વાદિષ્ટ સમોસા અને છોલે ટિક્કીઝ માટે પ્રખ્યાત છે. ગુરૂવારે ગુરુકૃપા બંધ રાખવામાં આવ્યું હતું અને રેસ્ટોરન્ટની બહાર બોર્ડ મુકાયું હતું કે, "વિશન વધાવાનો સ્વર્ગવાસ થવાથી આજે અમે બંધ રહીશું."
સાયનનું રેસ્ટોરન્ટ કૉલેજ સ્ટુડન્ટ્સથી માંડીને અલગ અલગ વય જૂથના લોકોમાં તો પૉપ્યુલર હતું જ પણ દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન જેવી સેલિબ્રિટીઝ પણ અહીંની સ્વાદિષ્ટ ડિશીઝના ફેન્સ રહી ચૂક્યા છે.
ADVERTISEMENT
વાધવાનું નિધન ગુરૂવારે મોડી રાત્રે થયું હતું અને તેમના નિધનના શોકમાં ગૂરૂવારે રેસ્ટોરન્ટ બંધ રાખવામાં આવ્યું હતું, જો કે આ અઠવાડિયે તે ફરી ખુલી જશે તેવી શક્યતાઓ છે. તેમના અંતિમ સંસ્કાર સાયનના સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા.