Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રાફેલસોદો ઍર ફોર્સ મજબૂત કરવા હતો કે ઉદ્યોગપતિ માટે?

રાફેલસોદો ઍર ફોર્સ મજબૂત કરવા હતો કે ઉદ્યોગપતિ માટે?

10 February, 2019 11:19 AM IST |

રાફેલસોદો ઍર ફોર્સ મજબૂત કરવા હતો કે ઉદ્યોગપતિ માટે?

શિવસેના

શિવસેના


રાફેલસોદો ઍર ફોર્સને મજબૂત કરવા માટે કે પછી નાણાકીય તંગી વેઠી રહેલા ઉદ્યોગપતિને મદદ કરવાના હેતુથી કરાયો હતો એ પ્રશ્નનો જવાબ વડા પ્રધાન મોદીએ આપવો જ જોઈએ એમ ગઈ કાલે શિવસેનાએ જણાવ્યું હતું. શુક્રવારે ‘ધ હિન્દુ’માં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ૫૯,૦૦૦ કરોડ રૂપિયાના રાફેલસોદા પરની વાટાઘાટો દરમ્યાન પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) દ્વારા હાથ ધરાયેલી સમાંતર ચર્ચાનો સંરક્ષણમંત્રાલયે સખત વિરોધ નોંધાવ્યો હોવાનો દાવો કરાયો હતો. આ અહેવાલને પગલે શિવસેનાએ ઉક્ત ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચો: મુંબઈ: CISFના ઑફિસરે આત્મહત્યા કરી



શિવસેનાએ એના મુખપત્ર ‘સામના’માં લખ્યું હતું કે મોદીએ ગુરુવારે સંસદમાં દેશભક્તિ પર ભાષણ આપી રાફેલસોદાનો બચાવ કર્યો હતો અને બીજા જ દિવસે આ અહેવાલ પ્રકાશિત થતાં દેશભક્તિનાં સૂત્રો પોકારનારાઓ અને સંસદની પાટલી ઠોકી મોદીનું અભિવાદન કરનારાઓ ચૂપ થઈ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 11:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK