Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > માઢામાંથી લોકસભાની ચૂંટણી લડવા પર હું વિચાર કરીશ: શરદ પવાર

માઢામાંથી લોકસભાની ચૂંટણી લડવા પર હું વિચાર કરીશ: શરદ પવાર

09 February, 2019 08:08 AM IST | પુણે

માઢામાંથી લોકસભાની ચૂંટણી લડવા પર હું વિચાર કરીશ: શરદ પવાર

શરદ પવાર

શરદ પવાર


નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે લોકસભાની ચૂંટણીમાં ઊતરવાના સંકેત આપ્યા છે. માઢા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા પર વિચાર ચાલી રહ્યો છે એમ શરદ પવારે કહ્યું હતું. આ વિષય નીકળતાં માઢામાંથી વિજયસિંહ મોહિતેનું પત્તું કપાશે કે કેમ એવો પ્રશ્ન થઈ રહ્યો છે.

માઢા લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવી છે એવી માગણી વિજયસિંહ મોહિતે પાટીલે કરી છે એમ જણાવીને શરદ પવારે પુણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જોકે ચૂંટણી લડવાની મારી ઉચ્છા નથી, પણ આ બાબતે હું વિચાર કરીશ.



પુણેની બારામતી હૉસ્ટેલમાં ગઈ કાલે શરદ પવારના નેતૃત્વમાં બેઠક મળી હતી જેમાં રાજ્યમાં લોકસભા મતવિસ્તારમાં કઈ સીટો પર કોને ટિકિટ આપવી એની ચર્ચા કરવામાં આવી હતી. આમાં માઢા, જળગાવ, શિરૂર, ઉસ્માનાબાદ, નવી મુંબઈ, કોલ્હાપુર મતવિસ્તારનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.


આ પણ વાંચો : સદનમાં હંગામા પર સ્પીકરને આવ્યો ગુસ્સો, રોજ કોઈને ઉઠાવીને બહાર ફેંકીએ?

માઢા લોકસભાની બેઠક માટે પક્ષની ઉમેદવારી કોને મળશે એનું ચિત્ર ગઈ કાલે સ્પષ્ટ થવાનું હતું. માઢામાંથી હાલના સંસદસભ્ય વિજયસિંહ મોહિતે અથવા ભૂતપૂર્વ સનદી અધિકારી પ્રભાકર દેશમુખને ઉમેદવારી અપાય એવી શક્યતા હતી, પણ શરદ પવારે પોતે લડવાનો વિચાર કરતા હોવાનું કહેતાં સ્ટોરીમાં ટ્વિસ્ટ આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2019 08:08 AM IST | પુણે

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK