Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શરદ પવારને પૌત્ર રોહિતનું આહ્વાન, ચૂંટણી ન લડવાનો નિર્ણય બદલો

શરદ પવારને પૌત્ર રોહિતનું આહ્વાન, ચૂંટણી ન લડવાનો નિર્ણય બદલો

13 March, 2019 12:05 PM IST |

શરદ પવારને પૌત્ર રોહિતનું આહ્વાન, ચૂંટણી ન લડવાનો નિર્ણય બદલો

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર

એનસીપીના અધ્યક્ષ શરદ પવાર


છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે શરદ પવાર માઢામાંથી ચૂંટણી લડશે, પણ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતાં સોમવારે શરદ પવારે એવી ઘોષણા કરી હતી કે ‘એક જ ઘરમાંથી બે વ્યક્તિઓ ચૂંટણી લડી રહી છે એમાં હવે ત્રીજો નથી જોઈતો. એથી હું પોતે ચૂંટણીમાં ઊભો નથી રહેતો અને નવી પેઢીને ચૂંટણી લડવાની તક આપીશ.’

શરદ પવારની આ જાહેરાતથી નિરાશ થઈ તેમના પૌત્ર રોહિત પવારે કાર્યકર્તાઓની લાગણી ધ્યાનમાં રાખી ચૂંટણીમાં ઊભા રહેવાનું આહ્વાન કર્યું છે.



આ પણ વાંચોઃ શરદ પવારનો યુ-ટર્ન : હવે માઢામાંથી લોકસભાની ચૂંટણી લડશે નહીં


રાજકારણમાં મોટા-મોટા લોકો સાહેબ (શરદ પવાર)ના રાજકારણનું ગૌરવ કરે છે એમ જણાવતાં રોહિત પવારે કહ્યું હતું કે ‘સર્વસામાન્ય લોકો શું કહે છે એની પર તેઓ કાયમ ધ્યાન રાખતા હતા જેના કારણે જ બાવન વર્ષ માત્ર રાજકારણમાં જ નહીં, પણ સમાજકારણમાં આ જ એક વ્યક્તિ અમારા માટે ઊભી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

13 March, 2019 12:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK