બિહારના મધુબની જિલ્લામાં મંગળવારે એક દિવ્યાંગ (મૂક-બધીર) બાળકી સાથે ગૅન્ગરેપની ઘટના બની છે. ગૅન્ગરેપથી ન અટકતાં આરોપીઓ દ્વારા તેની બન્ને આંખો પણ ફોડી નાખવામાં આવી છે. આ ઘટના બાદ બિહારના વિપક્ષી દળો અને નેતાઓ સત્તાપક્ષ અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર તેમ જ એનડીએને નિશાન બનાવી રહ્યા છે.
આરજેડીના તેજસ્વી યાદવે ટ્વીટમાં કહ્યું કે મધુબની જિલ્લામાં ગરીબ દિવ્યાંગ બાળકી સાથે બળાત્કાર થયો અને તેની બન્ને આંખો પણ ફોડી નાખવામાં આવી. બિહારમાં સતત ગરીબ-નાની બાળકીઓ સાથે બળાત્કારના સમાચાર આવી રહ્યા છે, પરંતુ ગરીબ હોવાનું જાણીને સરકાર કે પોલીસ કોઈ હલતું નથી.
તો આરજેડીએ પણ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે સી ગ્રેડ પાર્ટીના મુખ્ય પ્રધાનજી, ક્યાં સુધી સત્તાનું રક્ષણ મેળવનારા રાક્ષસો સગીર વયની બાળકીઓની ઇજ્જત લૂંટતા રહેશે અને બિહારને શર્મસાર કરતા રહેશે?
Sensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 ISTસંસદના બજેટ સત્ર પૂર્વે સરકારે સર્વપક્ષી બેઠક યોજશે
21st January, 2021 15:03 ISTનેપાલને ૧૦ લાખ કોવિડ વૅક્સિન મોકલશે ભારત
21st January, 2021 14:52 IST૩૦ જાન્યુઆરીએ દેશભરમાં બે મિનિટનું મૌન રખાશે
21st January, 2021 14:40 IST