જનતા કરફ્યુના સમર્થનમાં શાહીનબાગ કર્યું ખાલી
શાહીન બાગ
ભારતમાં જીવલેણ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દેશભરના લોકોએ જનતા કરફ્યુનું પાલન કરવામાં કર્યું છે. આ જનતા કરફ્યુમાં શાહીનબાગની મહિલાઓ પણ જોડાઈ છે. ૧૦૦ દિવસથી સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શન કરતી મહિલાઓએ સરકારની અપીલને માન આપી શાહીનબાગ ખાલી કર્યું છે. જોકે તેમણે પોતાની જગ્યાએ ચપ્પલ મૂકી અને સાંકેતિક ધરણાં યથાવત્ રાખ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે.