Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Breaking: વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું દિલ્હીમાં નિધન

Breaking: વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું દિલ્હીમાં નિધન

08 September, 2019 10:07 AM IST | નવી દિલ્હી

Breaking: વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું દિલ્હીમાં નિધન

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું દિલ્હીમાં નિધન

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું દિલ્હીમાં નિધન


જાણીતા વકીલ રામ જેઠમલાણીનું દિલ્હીમાં તેમના ઘરે નિધન થઈ ગયું. તેઓ 95 વર્ષના હતા. જેઠમલાણી દેશના સૌથી સારા વકીલઓમાંથી એક હતા. તેઓ પોતાની કરિઅરમાં અનેક મોટા કેસો લડ્યા અને જીત્યા. દિગ્ગજ વકીલ હોવાની સાથે તેઓ કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચુક્યા હતા. રામ જેઠમલાણી છેલ્લા બે અઠવાડિયાથી ગંભીર રીતે બિમાર હતા. તેમણે સાત દાયકા સુધી વકીલાત કરી અને 2017માં નિવૃતિ લીધી હતી. હાલ તેઓ આરજેડીથી રાજ્યસભાના સાંસદ હતા.




રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. તેમણે ઈન્દિરા ગાંધીના હત્યારાઓનો કેસ, ડૉન હાજી મસ્તાન અને હર્ષદ મહેતા જેવા કેસ લડ્યા હતા. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના હત્યારાઓ સતવંત સિંહ અને કેહર સિંહના વકીલ તરીકે રામ જેઠમલાણી રજૂ થયા હતા. એટલું જ નહીં તેમણે એઈમ્સના ડૉક્ટર અને ઈન્દિરા ગાંધીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનારા ટી ડી ડોગરાએ આપેલા મેડિકલ સર્ટિફિકેટને પણ ચેલેન્જ કર્યા હતા. જો કે તેમના આ કેસ પર અનેક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો.


દિગ્ગજોએ આપી અંજલિ

રામ જેઠમલાણીના પાર્થિવ દેહને હાલ તેમના ઘરે રાખવામાં આવ્યો છે. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જઈને તેમના અંતિમ દર્શન કર્યા.


ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેને મિત્ર ગણાવ્યા અને ટ્વીટ કરીને અંજલિ આપી.

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પણ તેમને એક તેજસ્વી વકીલ ગણાવ્યા અને શ્રદ્ધાંજલિ આપી.

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ પણ ટ્વીટ કરી રામ જેઠમલાણીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

Whatsapp-channel Whatsapp-channel

08 September, 2019 10:07 AM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK