Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > આમિરના શો સત્યમેવ જયતેમાં ભાગ લઈ ચૂકેલા યુવાનનું મર્ડર

આમિરના શો સત્યમેવ જયતેમાં ભાગ લઈ ચૂકેલા યુવાનનું મર્ડર

28 November, 2012 05:43 AM IST |

આમિરના શો સત્યમેવ જયતેમાં ભાગ લઈ ચૂકેલા યુવાનનું મર્ડર

આમિરના શો સત્યમેવ જયતેમાં ભાગ લઈ ચૂકેલા યુવાનનું મર્ડર




ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના વતની અબ્દુલ હકીમ નામના યુવાનની ઑનર કિલિંગની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માં લવ-મૅરેજ, ખાપ પંચાયત અને ઑનર કિલિંગના એપિસોડમાં ભાગ લઈ ચૂકેલા અબ્દુલના મોતથી આમિર ખાને પણ આઘાત અને દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન આર.પી.એન. સિંહે ઑનર કિલિંગ રોકવા માટે બંધારણમાં ફેરફાર કરવાની તરફેણ કરી હતી.

અબ્દુલે મહવિશ નામની યુવતી સાથે લવ-મૅરેજ કર્યાં હતાં. મહવિશ કથિત ઉચ્ચ જ્ઞાતિના જમીનદારની દીકરી હતી, જ્યારે અબ્દુલ સામાન્ય પરિવારનો સભ્ય હતો. બન્નેએ ભાગીને દિલ્હીમાં મૅરેજ કર્યાં હતાં. આ દરમ્યાન તેમને સતત હત્યાની ધમકીઓ પણ મળતી હતી. ૨૨ નવેમ્બરે અબ્દુલ પોતાની બીમાર માતાને મળવા બુલંદ શહેર આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2012 05:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK