મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ અપનાવ્યો છે એવા સ્વામીના આક્ષેપથી ખળભળાટ
મહેશ ભટ્ટ
બીજેપીના સંસદસભ્ય સુબ્રહ્મણ્યમ સ્વામી માટે કહેવાય છે કે તેઓ ક્યારે કોના પર નિશાન તાકશે એ નક્કી હોતું નથી.
આ વખતે બૉલીવુડના જાણીતા ડિરેક્ટર મહેશ ભટ્ટ સ્વામીના નિશાના પર આવ્યા છે. સુબ્રહ્મણ્યમ સ્વામીએ મહેશ ભટ્ટને લઈને કરેલી એક ટ્વીટ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
સ્વામીએ એમાં કહ્યું હતું કે ‘શું ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં દાદા ગણાતા મહેશ ભટ્ટે ઇસ્લામ ધર્મ અપનાવીને પોતાનું નામ અશરફ બટ રાખી લીધું છે. જો આવું ન હોય તો તેમણે પોતાના પોલીસ-રેકૉર્ડ સુધારવા માટે કોઈને કહેવાની જરૂર છે.