Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી, પાકને ૫૦,૦૦૦ એકે-૪૭ આપવાની ના પાડી

રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી, પાકને ૫૦,૦૦૦ એકે-૪૭ આપવાની ના પાડી

28 July, 2019 11:06 AM IST | મોસ્કો

રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી, પાકને ૫૦,૦૦૦ એકે-૪૭ આપવાની ના પાડી

રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી

રશિયાએ ભારત સાથે મિત્રતા નિભાવી


 રશિયાએ પાકિસ્તાનના ૫૦,૦૦૦ એકે-૪૭ રાઇફલ્સ ખરીદવાના આગ્રહને ફગાવી દીધો છે અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની રક્ષા ડીલ ન કરવાને લઈને ભારતને વિશ્વાસ અપાવ્યો છે.
નવી પેઢીના કલાશિન્કોવ રાઇફલ્સને જ એકે રાઇફલ્સ કહેવામાં આવે છે. રશિયાએ ભારતને કહ્યું છે કે ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ડીલ ઇસ્લામાબાદ સાથે થશે નહીં. રશિયા સાથે આ ડીલ પાકિસ્તાન પોતાના રક્ષા સંબંધોને ગાઢ કરવા માટે ઇચ્છી રહ્યું હતું. આવું એટલા માટે કે પાકિસ્તાની સેના હાલ એકે-૫૬ રાઇફલ્સનો ઉપયોગ કરે છે જે ચીન દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે.

આ પણ જુઓઃ દ્રષ્ટિ ધામીઃ ટીવીની સૌથી વધુ કમાતી એક્ટ્રેસ છે આ મિઠડી ગુજરાતણ



એકે-૫૬ ચીની અસાલ્ટ રાઇફલ્સ છે જે એકે-૪૭નું જ અપગ્રેડેડ વર્જન છે. જમ્મુ-કાશ્મીર અને પૂર્વોતરના આતંકવાદીઓની પાસે એકે-૫૬ હથિયાર જપ્ત થતાં રહેતાં હોય છે. ભારતીય અધિકારીઓ માટે આ એક સરપ્રાઇઝ પળ હતી કેમ કે જ્યારે પાકિસ્તાની સેના આવી રાઇફલ્સનો પહેલેથી જ ઉપયોગ કરી રહી છે તો પછી આ ડીલનો અર્થ શો હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 11:06 AM IST | મોસ્કો

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK