BJPના ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાઈ શકે : રેશમા પટેલ
રેશમા પટેલ (ફાઈલ ફોટો)
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રસેના ધારાસભ્યોને આમંત્રણ આપ્યુ છે. ત્યારે ભાજપ નેતા રેશમા પટેલે સરકાર વિરૂદ્ધ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, ભાજપના પણ 5થી7 જેટલા ધારાસભ્યો નારાજ છે. ભાજપના નારાજ ધારાસભ્યો પણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
ત્યારબાદ તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપે બીજા પક્ષની ચિંતા ન કરવી જોઈએ. સત્તાધારી પક્ષને લોકોની સેવા કરવામાં વધુ રસ હોવો જોઈએ. જોકે સરકાર દ્વારા લોકોની સેવા કરવામાં આવતી નથી. પરંતુ વિપક્ષ પર પ્રહાર કરવામાં આવે છે.
ADVERTISEMENT
આ સાથે જ તેમણે જણાવ્યું કે, ભાજપ દ્વારા માત્ર મોટા મોટા નિવેદન આપવામાં આવે છે. સાથે જ વિપક્ષ પર માત્ર પ્રહાર જ કરવામાં આવે છે અને ભાજપ દ્વારા માત્ર વોટબેંકની રાજનીતિ કરવામાં આવે છે. ભાજપ દ્વારા અન્ય પક્ષના નેતાઓ પર પહેલા પ્રહારો કરવામાં આવે છે અને તે નેતાઓ ભાજપમાં જોડાય છે તો તેમના વખાણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : અમદાવાદમાં BRTS સાથે કાર અને એક્ટિવાનો અકસ્માત, બેનાં મોત
રેશમા પટેલે પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું કે, ભાજપના દિગ્ગજો નેતાઓને માત્ર વોટબેંક જ સમજે છે.