Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કચ્છમાં શૉકથી બચાવવા માટે હવે નિગમ રિફ્લેક્ટર્સ લગાડશે

કચ્છમાં શૉકથી બચાવવા માટે હવે નિગમ રિફ્લેક્ટર્સ લગાડશે

02 December, 2011 08:18 AM IST |

કચ્છમાં શૉકથી બચાવવા માટે હવે નિગમ રિફ્લેક્ટર્સ લગાડશે

કચ્છમાં શૉકથી બચાવવા માટે હવે નિગમ રિફ્લેક્ટર્સ લગાડશે


 

સાઇબિરિયાના કાતિલ શિયાળાથી બચવા હજારો માઇલની ઉડાન કરીને કચ્છના ખદિરના રણમાં આવતાં ફ્લૅમિંગો પક્ષીઓ માટે આ ખદિરનું રણ અત્યારે કબ્રસ્તાન બની ચૂક્યું છે. ખદિરના રણમાંથી પસાર થતી ૧૧૦૦ વૉલ્ટની હાઇ-ટેન્શન લાઇન ફ્લૅમિંગો પક્ષીઓને ઉપરથી દેખાતી ન હોવાથી પક્ષીઓ આ હાઇ-ટેન્શન લાઇન તરફ ખેંચાઈ આવે છે અને પછી શૉર્ટ-સર્કિટને કારણે એમનું મોત થાય છે. આને જ કારણે ગઈ કાલે ખદિરના રણમાં ૪૦૦થી વધુ ફ્લૅમિંગો માર્યાં ગયાં હતાં. રાજકીય કારણોસર ગઈ કાલે ભાવનગર આવેલા ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બાબતની જાણ થતાં અમે વન-વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરીને આનું કાયમી સૉલ્યુશન શોધી કાઢ્યું છે. હવે એ હાઇ-ટેન્શન લાઇન પર રિફ્લેક્ટર્સ મૂકવામાં આવશે, જેને કારણે ઊંચે ઊડતાં ફ્લૅમિંગોને આ રિફ્લેક્ટર્સ દેખાય અને એ ત્યાં ઊતરવાને બદલે બીજે ઊતરે જેથી આવો કોઈ ઍક્સિડન્ટ ન થાય.’

તસવીર : જયેશ શાહ


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2011 08:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK