ચીન, કોરોના, રોજગાર, ખેડૂત...
નાગપુરમાં વિજયાદશમીની રૅલીને સંબોધી રહેલા મોહન ભાગવત.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નાગપુર મુખ્યાલયમાં સ્થાપના દિવસ અને વિજયાદશમીના અવસરે સંઘપ્રમુખ મોહન ભાગવતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કોરોના સંક્રમણ, ચીન સાથેનો વિવાદ, ખેડૂત સંબંધી નીતિ, સીએએ અને રોજગાર જેવા મહત્ત્વના વિષયો પર ૧૦ સંદેશ આપ્યા હતા.
* કોરોના બાબતે યોગ્ય સમયે નિર્ણય લો.
* પાડોશી દેશો સાથેના સંબંધો સુધારો
* ચીનને પાઠ ભણાવાયો, પણ તેના પર નજર રાખવી પડશે
* સીએએની આડમાં હિંસા-વિખવાદનું ષડ્યંત્ર
* ટુકડે-ટુકડે ગૅન્ગ ઘડી રહી છે કાવતરું
* રામમંદિરના ચુકાદાનો સૌએ સ્વીકાર કર્યો
* સ્વદેશી કૃષિ નીતિની જરૂરત
* વૉકલ ફૉર લોકલ પર ધ્યાન જરૂરી
* નવી શિક્ષણ નીતિનું સ્વાગત કરાયું
* રોજગાર ઊભો કરવાનો પડકાર