હર્ષ હિલોળે ચડ્યોઃ સાત મહિને રાજકોટને ડેઇલી ફ્લાઇટ મળી
રાજકોટને ડેઇલી ફ્લાઇટ મળી
ફાઇનલી સ્પાઇસ જેટે રાજકોટ-મુંબઈ વચ્ચે ડેઇલી ફ્લાઇટ શરૂ કરતાં રાજકોટવાસીઓને સાચા અર્થમાં દિવાળી ગિફ્ટ મળી હોય એવું લાગ્યું હતું. જેટ ઍરવેઝ બંધ થયા પછી અને ઍર ઇન્ડિયાએ પોતાનો ફ્લાઇટ રૂટ ઘટાડ્યા પછી રાજકોટ-મુંબઈ વચ્ચે વીકમાં માત્ર ચાર ફ્લાઇટ હતી, જે એક સમયે દરરોજ પાંચ ફ્લાઇટ અવરજવર કરતી અને રેગ્યુલર ટ્રાફિક પણ મળતો હતો. વધારે ફ્લાઇટની માગ છેલ્લા ચાર મહિનાથી એકધારી ચાલતી હતી, જે હવે પૂરી થઈ અને હવે દરરોજ સ્પાઇસ જેટની ફ્લાઇટ રાજકોટથી બપોરે ૧:૧૦ મિનિટે રવાના થશે, જે મુંબઈથી દરરોજ સવારે ૧૧:૨પ મિનિટે રવાના થશે.