Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ જેઠમલાણીને બીજેપીએ આપી શો-કૉઝ નોટિસ

રામ જેઠમલાણીને બીજેપીએ આપી શો-કૉઝ નોટિસ

27 November, 2012 03:11 AM IST |

રામ જેઠમલાણીને બીજેપીએ આપી શો-કૉઝ નોટિસ

રામ જેઠમલાણીને બીજેપીએ આપી શો-કૉઝ નોટિસ






સિનિયર વકીલ અને રાજ્યસભાના સંસદસભ્ય રામ જેઠમલાણીને રવિવારે પાર્ટીમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કર્યા બાદ ગઈ કાલે મળેલી બીજેપીના સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટી પ્રમુખ નીતિન ગડકરીના નિર્ણયને માન્ય રાખવામાં આવ્યો હતો. ર્બોડે જેઠમલાણીને શો-કૉઝ નોટિસ આપી હતી, જેમાં તેમને કેમ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં ન આવે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. બીજેપીના મહામંત્રી અનંતકુમારે ગઈ કાલે કહ્યું હતું કે સંસદીય બોર્ડની બેઠકમાં યશવંત સિંહા અને શત્રુઘ્ન સિંહાએ ગડકરી વિરુદ્ધ કરેલાં નિવેદનો કોઈ ચર્ચા થઈ ન હતી.


બીજેપીના આ બન્ને નેતાઓએ પણ જાહેરમાં ગડકરીના રાજીનામાની માગણી કરી હતી. તેમણે જેઠમલાણીને પણ ટેકો આપ્યો હતો. બીજેપીમાં માત્ર સંસદીય બોર્ડને જ પાર્ટીના સંસદસભ્ય કે ધારાસભ્યની હકાલપટ્ટી કરવાની સત્તા છે. અગાઉ ૨૦૦૯માં જસવંત સિંહ લોકસભાના સભ્ય હતા ત્યારે તેમને શો-કૉઝ નોટિસ આપ્યા વિના સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જસવંત સિંહે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાનાં વખાણ કર્યા હતાં અને સરદાર પટેલ તથા નેહરુને ભારતના ભાગલા માટે જવાબદાર ગણાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2012 03:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK