Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી મળી

રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી મળી

28 September, 2019 09:24 AM IST | રાજકોટ

રાજકોટમાં નવરાત્રિ દરમિયાન ૧૨ વાગ્યા સુધી સાઉન્ડ વગાડવાની મંજૂરી મળી

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર

નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર


રાજકોટ : (જી.એન.એસ.) નવરાત્રિને લઈને રાજકોટ ઇન્ચાર્જ પોલીસ-કમિશનર સંદીપ સિંહની પ્રેસ-કૉન્ફરન્સ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન રાજકોટમાં પોલીસનો ચુસ્ત પોલીસ-બંદોબસ્ત રહેશે. રાત્રે ૧૨ વાગ્યા સુધી જ સાઉન્ડ વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં નવરાત્રિ દરમિયાન ૬૬૯ પોલીસ-કર્મચારીઓ ખડેપગે રહેશે જેમાં બે ડીસીપી, ૪ એસીપી, ૧૨ પીઆઇ અને ૪૩ પીઆઇએસ ફરજ બજાવશે.

અર્વાચીન નવરાત્રિ આયોજકોએ ગ્રાઉન્ડમાં સીસીટીવી લગાવવા ફરજિયાત છે. ૩૦ દિવસ સુધી સીસીટીવીનો ડેટા સાચવી રાખવો ફરજિયાત છે. ફાયર-સેફ્ટીનાં સાધનો અને એનઓસી મેળવવું ફરજિયાત છે. તેમ જ પાર્કિંગની વ્યવસ્થા અને સિક્યૉરિટી રાખવી ફરજિયાત છે. શહેરમાં ૨૮ કમર્શિયલ, ૧૦૩ પ્રાચીન અને ૪૬૯ નાની ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ ૧૭ વેલકમ નવરાત્રિનું પણ આયોજન છે.


Whatsapp-channel Whatsapp-channel

28 September, 2019 09:24 AM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK