Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આવા દુઃખી માહોલમાં રાજ ઠાકરે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

આવા દુઃખી માહોલમાં રાજ ઠાકરે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

16 June, 2020 02:00 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

આવા દુઃખી માહોલમાં રાજ ઠાકરે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે

રાજ ઠાકરે

રાજ ઠાકરે


મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)નાં રાજ ઠાકરેએ શુક્રવારે કહ્યું હતું કે તેઓ આ વર્ષે પોતાનો જન્મદિવસ નહીં ઉજવે. 14મી જૂને રાજ ઠાકરેનો જન્મદિવસ હોય છે અને Covid-19 રોગચાળાના સંજોગોને ધ્યાનમાં લઇને તેમણે પોતાના પક્ષનાં લોકોને તથા સાથી કર્મચારીઓને વિનંતી કરી છે કે તેઓ તેમને શુભેચ્છાઓ આપવા ન આવે.

"... 14મી જૂન મારો જન્મદિવસ છે પણ હું દર વર્ષે જે રીતે તમામને મળું છું તે રીતે આ વર્ષે નહીં મળી શકું. આનું એક માત્ર કારણ છે કે હાલનાં સંજોગો બહુ કપરાં છે, ઘણાં બધા લોકોએ જિંદગી ગુમાવી છે અને ઘણાં લોકો પીડાય છે તથા હેરાન થઇ રહ્યા છે..આખો માહોલ બહુ દુઃખદ છે. આવા સંજોગોમાં જન્મદિવસની ઉજવણી યોગ્ય નથી લાગતી. હું તમામને દિલથી વિનંતી કરું છું કે મને શુભેચ્છાઓ આપવા અંગત રીતે મળવા ન આવે. મે એક જ અપેક્ષા છે કે તમે સૌને મદદ કરવાનું ચાલુ રાખો અને તે જ સૌથી મોટી ભેટ રહેશે. હું તમારા પ્રયત્નોની પ્રશંસા કરું છું અને જેને જરૂર છે તેને મદદ કરાવું ચાલુ રાખજો. પ્લીઝ તમારી જાતની પણ કાળજી રાખજો અને તમારી જાતને તથા પરિવારને સલામત રાખજો. ”MNSના વડાએ કહ્યું કે જ્યારે બધું નોર્મલ થશે ત્યારે તેઓ પોતે જ પક્ષનાં સભ્યોને મળશે.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2020 02:00 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK