ફેસબુક પ્રકરણમાં ગુનો દાખલ કરતાં પહેલાં સિનિયરોનું માર્ગદર્શન લો : પાટીલ
પાલઘરમાં બન્ને યુવતીઓની કયા સંજોગોમાં ધરપકડ કરવામાં આવી હતી એનો જવાબ માગવામાં આવ્યો છે અને એનો જવાબ રાજ્ય સરકાર વહેલી તકે કોર્ટમાં રજૂ કરવાની છે.’
શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેના અવસાન બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં પાળવામાં આવેલા બંધ સામે પાલઘરની બે યુવતીઓએ ફેસુબક પર કરેલી ટિપ્પણી બદલ પાલઘર પોલીસે તેમની ધરપકડ કરી હતી. આને લગતો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને એના પર શુક્રવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.