પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી
અમરિન્દર સિંહ
પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિન્દર સિંહને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મુખ્ય પ્રધાનને ધમકી મળ્યા બાદ વહીવટતંત્ર હરકતમાં આવી ગયું છે. આ કેસમાં પોલીસે અજાણ્યા શખસ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. એક પોસ્ટરમાં, કૅપ્ટનને મારી નાખવાની ધમકી સાથે ૧૦ લાખ ડૉલરનું ઇનામ આપવાની વાત કરવામાં આવી છે.