મલાડમાં મારામારીમાં યુવાનનું મૃત્યુ થવાથી લોકોનું રસ્તારોકો આંદોલન
પરિસ્થિતિ પર અંકુશ મેળવવા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો. ગોવિંદાના દિવસે જૂની અદાવતને કારણે થયેલી મારામારીમાં કાંચપાડામાં રહેતા અને યુવા કૉન્ગ્રેસ માટે કામ કરતા શંકરને વિરોધીઓએ બૅટથી માથામાં મારતાં તેને ગંભીર ઈજા થઈ હતી. એ માટે તેની કેઈએમ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ત્યાર બાદ ૨૦ ઑગસ્ટે તેને મલાડની એસ. વી. રોડ પર આવેલી રિદ્ધિવિનાયક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મંગળવારે બપોરે સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. એ પોલીસકેસ હોવાથી શંકરના મૃતદેહનું ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. જોકે પોસ્ટમૉર્ટમની કાર્યવાહીને લઈને શંકરના પરિવારજનો અને મિત્રોનો સત્તાવાળાઓ સાથે વિવાદ થયો હતો. પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવતા શંકરના પરિવારને લોકોની સહાનુભૂતિ મળી હતી. લોકો પ્રોટેસ્ટ કરવા માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રસ્તારોકો આંદોલન કરીને ટ્રાફિક જૅમ કરી દીધો હતો.
ADVERTISEMENT
કેઈએમ = કિંગ એડ્વર્ડ મેમોરિયલ