રોજ ૧૨ લાખ લોકો સ્કાયવૉક વાપરે છે: મુખ્ય પ્રધાન
એમએનએસના વિધાનસભ્ય હર્ષવર્ધન જાધવ, શિશિર શિંદે તથા અન્યોએ એવો દાવો કર્યો છે કે કોઈ પણ જાતના આયોજન વગર સ્કાયવૉક બનાવવામાં આવ્યા છે અને લોકો એનો ભાગ્યે જ ઉપયોગ કરે છે. વિધાનસભામાં આ વિશે લેખિતમાં જવાબ આપતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સ્કાયવૉક લોકોના પૈસાનો બગાડ છે એમ ન કહી શકાય. એમએમઆરડીએ દ્વારા નવેમ્બરમાં કુલ ૬૭ જેટલા સ્કાયવૉક બનાવવાની યોજના હતી. નવેમ્બર મહિના સુધી ૩૬ જેટલા સ્કાયવૉક બનાવવા પાછળ કુલ ૭૩૮.૨૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.