Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજકોટ: એઈમ્સના શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી

રાજકોટ: એઈમ્સના શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી

12 February, 2019 07:12 PM IST |

રાજકોટ: એઈમ્સના શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપશે હાજરી

ફરી એકવાર ગુજરાત પ્રવાસે

ફરી એકવાર ગુજરાત પ્રવાસે


લોકસભા ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને 4 અને 5 માર્ચે ફરી એકવાર ગુજરાત પ્રવાસ આવશે. હાલમાં થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા અને આ દરમિયાન તેમણે વી.એસ હોસ્પિટલની નવી ઈમારતનું ઉદ્ધાટન કર્યું હતું. આ સિવાય તેમને અન્ય ઘણી મહત્વની યોજનાઓનું સિલાન્યાસ કર્યું હતું. આગામી મહિને ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. 4 અને 5 માર્ચ વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવશે.

આ પ્રવાસ દરમિયાન તે 4 માર્ચે અમદાવાદમાં ઉમીયા ધામનું શિલાન્યાસ કરશે. 5 માર્ચે રાજકોટમાં મહત્વની યોજના એઈમ્સનું શિલાન્યાસ કરશે. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં એઈમ્સને લઈને ચર્ચા થઈ હતી. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહત્વાકાંક્ષી યોજનાનું શિલાન્યાસ કરશે. એઈમ્સને રાજકોટમાં સારવાર ક્ષેત્રે ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.



 


આ પણ વાંચો: જે લોકો છે ભ્રષ્ટ, તેમને જ મોદીથી કષ્ટઃPM મોદી

 


લોકસભાની ચૂંટણી નજીકમાં છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગઢ છે ત્યારે કોઈ પણ સંજોગોમાં ગુજરાતની જનતાને નારાજ કરવા માગતા નથી. આ સિવાય પણ ઘણી મહત્વની યોજનાઓનો આધાર મુકશે.

Whatsapp-channel Whatsapp-channel

12 February, 2019 07:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK