Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના મહેમાન બનશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના મહેમાન બનશે

30 October, 2020 01:58 PM IST | Gandhinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના મહેમાન બનશે

નરેન્દ્ર  મોદી (ફાઈલ તસવીર)

નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર)


વડા પ્રધાન મોદી માદરે વતન આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ૩૦, ૩૧ ઑક્ટોબરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પીએમ મોદીના પ્રવાસનો સંભવિત કાર્યક્રમ સામે આવ્યો છે, જેમાં વડા પ્રધાન પીએમ મોદી ૩૦ ઑક્ટોમ્બરે બપોરે ૩ વાગ્યે હેલિકૉપ્ટર દ્વારા કેવડિયા આવી પહોંચશે. સૌપ્રથમ જંગલ સફારી પાર્ક જે હાલ ટ્રાઇલ રન પર ચાલે છે એનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ ક્રૂઝ બોટનું ઉદ્ઘાટન કરશે. બાદમાં વડા પ્રધાન ક્રૂઝ બોટમાં બેસી સ્ટૅચ્યુ ઑફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની મુસાફરી કરશે. સમાચાર આવી રહ્યા છે કે આજે વડા પ્રધાન મોદી સવારે ૧૦ વાગ્યે અમદાવાદ ઍરપોર્ટથી સીધા ગાંધીનગર જવા રવાના થશે, જ્યાં તેઓ કેશુબાપાના પરિવારની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવશે.


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2020 01:58 PM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK