દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: સુપ્રીમનું નિવેદન
ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી યોજાવી જોઈએ કે નહીં, એ નક્કી કરવાનું કામ પોલીસનું છે. એવામાં હવે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રૅક્ટર-માર્ચ થશે, એના પર નિર્ણય દિલ્હી પોલીસે લેવાનો રહે છે. જોકે, સુપ્રીમ કોર્ટ બુધવારે ફરી આ મામલા પર સુનાવણી કરશે.
ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ગણતંત્ર દિવસે ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ટ્રૅક્ટર-રૅલીને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસે નિર્ણય લેવાનો છે સાથોસાથ કોર્ટે કહ્યું કે શહેરમાં કેટલા લોકો, કેવી રીતે આવશે એ પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે શું હવે કોર્ટે જણાવવું પડશે કે સરકારની પાસે પોલીસ ઍક્ટ હેઠળ શું શક્તિઓ છે. હવે સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે.