Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: સુપ્રીમનું નિવેદન

દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: સુપ્રીમનું નિવેદન

19 January, 2021 02:16 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં કોણ આવશે, કોણ નહીં એ પોલીસ નક્કી કરશે: સુપ્રીમનું નિવેદન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ખેડૂતોની ટ્રૅક્ટર-રૅલી યોજાવી જોઈએ કે નહીં, એ નક્કી કરવાનું કામ પોલીસનું છે. એવામાં હવે ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રૅક્ટર-માર્ચ થશે, એના પર નિર્ણય દિલ્હી પોલીસે લેવાનો રહે છે. જોકે, સુપ્રીમ કોર્ટ બુધવારે ફરી આ મામલા પર સુનાવણી કરશે.

ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં ગણતંત્ર દિવસે ખેડૂત સંગઠનો દ્વારા આયોજિત ટ્રૅક્ટર-રૅલીને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસે નિર્ણય લેવાનો છે સાથોસાથ કોર્ટે કહ્યું કે શહેરમાં કેટલા લોકો, કેવી રીતે આવશે એ પોલીસ નક્કી કરશે. ચીફ જસ્ટિસે કહ્યું કે શું હવે કોર્ટે જણાવવું પડશે કે સરકારની પાસે પોલીસ ઍક્ટ હેઠળ શું શક્તિઓ છે. હવે સુપ્રીમ કોર્ટ બુધવારે આ મામલાની સુનાવણી કરશે.


Whatsapp-channel Whatsapp-channel

19 January, 2021 02:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK