જે બસમાં હાર્દિક-રાહુલ હોય એમાં પત્ની-દીકરીને લઈને નહીં બેસું : હરભજન
હરભજનસિંહ
દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે એક ટીવી-પ્રોગ્રામમાં મહિલાઓને લઈને કરવામાં આવેલી ખરાબ ટિપ્પણી બદલ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની આકરી ટીકા કરી હતી. ભજીએ કહ્યું હતું કે ‘અમે અમારા મિત્રો સાથે પણ આ પ્રકારની વાતો નથી કરતા અને તેઓ જાહેરમાં ટીવી પર આવી વાતો કરી રહ્યા હતા. હવે લોકો વિચારશે કે હરભજન પણ આવો જ હતો. અનિલ કુંબલે આવો જ હતો અને સચિન તેન્ડુલકર પણ.’
હાર્દિકે ટીવી-શો દરમ્યાન ઘણી મહિલાઓ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો હતો. વળી એવું પણ કહ્યું હતું કે આ મામલે તે પોતાના પરિવાર સાથે પણ ખૂલીને વાત કરે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃહાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ સસ્પેન્ડ, BCCIની ફટકાર
તેમના પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિશે ભજીએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે ક્રિકેટ ર્બોડે યોગ્ય પગલું ભર્યું છે. મને એનાથી કોઈ આર્ય નથી થયું. જો મારે ટીમની બસમાં દીકરી કે પત્નીને લઈ જવાનું હોય અને એ બસમાં આ બન્ને ખેલાડીઓ હોય તો હું એમાં પ્રવાસ નહીં કરું. તમે મહિલાઓને માત્ર એક જ પ્રકારથી જોતા હો તો એ યોગ્ય નથી.’