Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > PM મોદીએ અંદમાન-નિકોબારને આપી નવા વર્ષે યોજનાઓની ભેટ

PM મોદીએ અંદમાન-નિકોબારને આપી નવા વર્ષે યોજનાઓની ભેટ

30 December, 2018 05:55 PM IST |

PM મોદીએ અંદમાન-નિકોબારને આપી નવા વર્ષે યોજનાઓની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ગ મોદી અંદમાન-નિકોબારના મુલાકાતે

વડાપ્રધાન નરેન્દ્ગ મોદી અંદમાન-નિકોબારના મુલાકાતે


વડાપ્રધાન નરેન્દ્ગ મોદી આજે અંદમાન-નિકોબારમાં 2004માં આવેલા સુનામીના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરી . આ મોકા પર તેમણે સી-વૉલ સહીત ઘણી પરિયોજનાની શરૂઆત કરી. પીએમ મોદીએ સાત મેગાવોટના સૌર વિદ્યુત સંયંત્ર અને સૌર ગામનું પણ લોકાર્પણ કર્યુ છે.

સેલ્યુલર જેલમાં જઈને શહીદોને આપી શ્રદ્ધાંજલી



પીએમ તેમના આ પ્રવાસ દરમિયાન અંદમાનની સેલ્યુલર જેલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ જેલમાં 650 રાજકારણીયોને બંદી બનાવી રાખવામાં આવ્યા હતા. પીએમએ વીર સાવરકરને એમની કોઠીમાં જઈને વંદન અર્પણ કર્યા હતા.


વડાપ્રધાન અંદમાન-નિકોબારનાં પ્રવાસે છે જ્યા તેમણે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓનુ લોકાર્પણ કર્યું હતું અને આ દરમિયાન તેમણે સામાન્ય જનતાને સંબોધી હતી. ચાલો જાણીએ તેમના સંબોધનની વિશેષ વાતો.

- અંદમાન-નિકોબાર પાસે અદભુત પ્રકૃતિનો ખજાનો તો છે જ સાથે આપણી સંસ્કૃતિ, પરંપરા, કલા, અને કૌશલ્ય પણ છે. અહી દર્શાવવામાં આવેલા નૃત્ય અને બાળકોની કળાનું પ્રદર્શન દેખાડે છે કે ભારતની સંસ્કૃતિક સંમ્પન્નતા હિંદ મહાસાગર જેટલી વિરાટ છે.


- વિવિધ યોજના અને ખાસ કરીને સી-વૉલ આ દેશના વિકાસ માટે અમારી વિચારનો વિસ્તાર છે તેના મૂળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી છે.

- સૌનો સાથ, સૌનો વિકાસ એટલે વિકાસથી દેશનો કોઈ પણ સામાન્ય નાગરિક રહી ન જાય અને કોઈ ખુણો બાકી ન રહે એવી ભાવનાનું આ ઉદાહરણ છે.

- સુરક્ષા સાથે સાથે અન્ય ક્ષેત્રોમાં પણ વિકાસની પંચધારા વહે, બાળકોના શિક્ષણ, યુવાઓને રોજગાર, ઘરડાઓને દવા, ખેડૂતોને સિંચાઈ, જન-જનની સુનાવણી આ બધી સુવિધાઓ માટે કામ કરવામાં આવી રહ્યું છે.

- કાર-નિકોબારમાં યુવા પારંપરિક રોજગાર સાથે સાથે શિક્ષણ, ચિકિત્સા અને બીજા કામોમાં પણ આગળ વધી રહ્યાં છે. રમત ક્ષેત્ર કૌશલ્ય અહીંયાના યુવકોમાં સમાયેલુ છે.

- કેન્દ્ર સરકાર અંદમાન અને નિકોબારમાં રહેનારા લોકો માટે સામાન્ય જીવન સાથે જોડાયેલી પ્રાથમિક વ્યવસ્થાને સરળ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે.

- કેન્દ્ર સરકાર માછીમારોને સશક્ત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. મત્સ્ય ઉદ્યોગમાટે 7,000 કરોડના વિશેષ ફંડનું પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 December, 2018 05:55 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK