Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાથી લઈને પરીક્ષા સુધી, મોદીએ મન કી બાતમાં આ વિષય પર કરી વાત

કોરોનાથી લઈને પરીક્ષા સુધી, મોદીએ મન કી બાતમાં આ વિષય પર કરી વાત

28 February, 2021 12:20 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કોરોનાથી લઈને પરીક્ષા સુધી, મોદીએ મન કી બાતમાં આ વિષય પર કરી વાત

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના બીજા મન કી બાતમાં પાણીના મહત્વ પર ભાર મૂક્યો છે. પીએમે કહ્યું કે કાલે માઘ પૂર્ણિમાનો પર્વ હતો. માઘ મહિનો ખાસ કરીને નદીઓ, તળાવ અને જળસંગ્રહ સાથે સંકળાયેલ માનવામાં આવે છે. માઘ મહિનામાં કોઈપણ પવિત્ર જળાશયમાં સ્નાને પવિત્ર માનવામાં આવે છે. વિશ્વના દરેક સમાજમાં નદી સાથે જોડાયેલી પરંપરા હોય છે. નદીના કાંઠે ઘણી સંસ્કૃતિ વિકસિત થઈ છે. ભારતમાં કોઈ એવો દિવસ નહીં હોય જ્યારે દેશના કોઈપણ ખૂણામાં જળ સાથે જોડાયેલો કોઈ ઉત્સવ ન હોય.

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે હરિદ્વારમાં કુંભ પણ થઈ રહ્યું છે. જળ આપણા માટે જીવન પણ છે, તે શ્રદ્ધા પણ છે અને વિકાસની ધારા પણ છે. પાણી એક પ્રકારથી પણ વધારે મહત્વપૂર્ણ છે. કહેવાય છે કે પારસના સ્પર્શથી લોખંડને, સોનામાં ફેરવવામાં આવે છે. એવી જ રીતે પાણીનો સ્પર્શ જીવન માટે જરૂરી છે. એટલે પાણીના સંરક્ષણ માટે અમારે અત્યારથી જ પ્રયાસો શરૂ કરવા જોઈએ. તેમણે જણાવ્યું કે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા જલ શક્તિ અભિયાન 'કેચ ધ રેન' શરૂ કરવામાં આવી રહ્યું છે.



સંત રવિદાસજીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે માઘ મહિના અને તેના આધ્યાત્મિક સામાજિક મહત્વની ચર્ચા સંત રવિદાસજીના નામ વિના સંપૂર્ણ નથી. રવિદાસજી કહેતા હતા- કરમ બંધ બન્ધ રહિયો, ફલ કી ના તજ્જિયો આસ. કર્મ માનુષ કા ધર્મ હૈ, સત ભાખે રવિદાસ. અર્થાત આપણે આપણું કર્મ કરતા રહેવું જોઈએ. પછી ફળ તો મળશે જ મળશે, કર્મથી સિદ્ધિ તો થશે જ.


પીએમ મોદીએ કહ્યું કે આપણે આપણા સપના માટે કોઈ બીજા પર નિર્ભર રહેવું, એ બિલકુલ યોગ્ય નથી. આપણા યુવાનોએ કોઈપણ કાર્ય કરવા માટે પોતાની જાતને જૂની રીતે બંધન ન કરવું જોઈએ. પોતાના જીવનને પોતે જ નક્કી કરો. તમારી પોતાની રીતે પણ પોતે બનાવો અને પોતાના લક્ષ્યો પણ જાતે જ નક્કી કરો. જો તમારું વિવેક, તમારો આત્મવિશ્વાસ મજબૂત છે તો તમને દુનિયામાં કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી.

પીએમ મોદીએ કહ્યું કે આગામી થોડા મહિનાઓ તમારા બધાના જીવનમાં વિશેષ મહત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની પરીક્ષાઓ થશે. હસતાં હસતાં પરીક્ષા આપવા જવું છે અને હસતાં પાછા ફરવું છે. તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે પરીક્ષા પે ચર્ચા કરીશું. માર્તમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલા મારી તમારી બધાને એક્ઝામ વૉરિયર્સથી, માતા-પિતાથી અને શિક્ષકોથી અનુરોધ છે કે પોતાનો અનુભવ, પોતાની ટિપ્સ જરૂર શૅર કરો.


પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતની પહેલી શરત છે- પોતાના દેશની વસ્તુઓનો ગર્વ હોવો જોઈએ, પોતાના દેશના લોકો દ્વારા બનાવેલી ચીજો પર ગર્વ કરો. જ્યારે દરેક દેશવાસી ગર્વ કરે છે, પ્રત્યેક દેશવાસી જોડાય છે, તો આત્મનિર્ભર ભારત ફક્ત એક આર્થિક અભિયાન ન રહીને એક રાષ્ટ્રીય ભાવના બની જાય છે. તેમણે કહ્યું કે આકાશમાં આપણે દેશમાં બનેલા લડાકુ વિમાન તેજસ જોઈએ છીએ, ત્યારે ભારતમાં બનેલા ટેન્ક, મિસાઈલો આપણું ગૌરવ વધારે છે. જ્યારે આપણે ડઝનેક દેશો સુધી મેડ ઈન ઈન્ડિયા વેક્સિનને પહોંચાડીશું, તો આપણું માથું હજી ઉચું થઈ જશે.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2021 12:20 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK