સાત ઑગસ્ટે વડા પ્રધાન મોદી દેશને સંબોધિત કરશે
ફાઈલ ફોટો
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત ઑગસ્ટે દેશને સંબોધન કરવાના છે.આ દિવસે મોદીએ તમામ પાર્ટીઓની બેઠક બોલાવી છે. ઉપરાંત એનડીએના સાંસદો સાથે પણ મોદી અને અમિત શાહ મળવાના છે.
સાંસદો સાથેની બેઠક પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરશે.એવું મનાય છે કે, પીએમ મોદી આ દિવસે પંજાબ, હરિયાણા, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ સહિતનાં રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે પણ વાત કરવાના છે. એવું મનાય છે કે, સરકારે લીધેલા નિર્ણય બાદ તમામ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મુખ્ય પ્રધાનો સાથે પીએમ મોદી ચર્ચા કરી શકે છે.