Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પીએમ મોદી માનસિક રોગના દરદી છે: ઇમરાન ખાનનો બેફામ વાણીવિલાસ

પીએમ મોદી માનસિક રોગના દરદી છે: ઇમરાન ખાનનો બેફામ વાણીવિલાસ

29 June, 2020 06:43 PM IST | Islamabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીએમ મોદી માનસિક રોગના દરદી છે: ઇમરાન ખાનનો બેફામ વાણીવિલાસ

પીએમ મોદી માનસિક રોગના દરદી છે: ઇમરાન ખાનનો બેફામ વાણીવિલાસ


પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી માટે બેફામ વાણીવિલાસ કર્યો છે.

ઇમરાને કહ્યું હતું કે પીએમ મોદી સામાન્ય માણસ નથી, પણ માનસિક રોગના દરદી છે અને ભારતને તે બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે. પીએમ મોદી કાશ્મીરમાં નરસંહાર કરાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વાતની નોંધ લેવાવી જોઈએ.



એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇમરાને કહ્યું હતું કે કાશ્મીરના લોકોની આઝાદી માટે થઈ રહેલા સંઘર્ષને દબાવી નહીં શકાય. ઇમરાન ખાન સરકારે સરહદ નજીક રહેલા લોકોને રોકડ સહાય કરવાની એક સ્કીમ લોન્ચ કરી છે. જેમાં ઇમરાને ઉપરોક્ત વાત કહી હતી.


ઇમરાન ખાન અગાઉ પણ પીએમ મોદી માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યા છે. તાજેતરમાં ઇમરાન ખાને આતંકી ઓસામા બિન લાદેનને પણ શહીદ કહેતા તેમના પર પસ્તાળ પડી હતી. દુનિયાના બીજા દેશોએ પણ આ નિવેદનની ટીકા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 06:43 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK