વૈજ્ઞાનિકોએ દર્શાવ્યો આત્મનિર્ભર ભારતનો જુસ્સો: નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી
કોવિડ-19 માટેની બે રસીના ઇમર્જન્સી યુઝને મંજૂરી મળ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. અન્ય ટ્વીટમાં પીએમએ જણાવ્યું કે આ જાણીને દરેક ભારતીયને ગર્વ થશે કે જે બે રસીને ઇમર્જન્સી યુઝ માટેની મંજૂરી મળી છે તે બન્ને ભારતમાં બની છે. આ બાબત આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે આપણા વિજ્ઞાનીઓની ઉત્સુક્તા દર્શાવે છે જેમના મૂળમાં કરુણા અને સેવા છે.