Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બજેટ પર PM મોદીએ કહ્યું, જન-જનને સમર્થ બનાવતું બજેટ

બજેટ પર PM મોદીએ કહ્યું, જન-જનને સમર્થ બનાવતું બજેટ

05 July, 2019 03:02 PM IST | નવી દિલ્હી

બજેટ પર PM મોદીએ કહ્યું, જન-જનને સમર્થ બનાવતું બજેટ

તસવીર સૌજન્ય-BJP

તસવીર સૌજન્ય-BJP


કેન્દ્રીય બજેટના ભાષણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નાણામંત્રી અને તેમની આખી ટીમને ખૂબ ખૂબ વધામણી. આ દેશને સમૃદ્ધ અને જન-જનને સમર્થ બનાવતું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાનોને સારું કાલ મળશે. આ બજેટના માધ્યમથી મધ્યમ વર્ગને પ્રગતિ મળશે. વિકાસને વેગ મળશે.




આ બજેટથી ટેક્સ વ્યવસ્થામાં સરળીકરણ થશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આનુનિકીકરણ થશે. બજેટમાં ભાવી પેઢીની ચિંતા કરવામાં આવી છે. આ નવા ભારતના નિર્માણ વાળું બજેટ છે. 2011ના સંકલ્પોને પુર્ણ કરનાર બજેટ છે. આ દેશનું ડ્રીમ બજેટ છે. 2022ના સંકલ્પોને પૂર્ણ કરનાર બજેટ છે. આ દેશ માટે ડ્રીમ બજેટ છે. જેનાથી વેપાર મજબૂત થશે. ગામ અને ગરીબોનું કલ્યાણથશેચ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ બજેટ ઉદ્યમ અને ઉદ્યમોને મજબૂત બનાવશે. દેશમાં મહિલાઓન ભાગીદારીને વધારશે. સરકારને ગરીબ-ખેડૂતો-દલિતો-પીડિતો-શોષિતો-વંચિતોને સશક્ત કરવા માટે ચારેતરફના પગલા ઉઠાવશે. આગામી 5 વર્ષોમાં જ આ સશક્તિકરણ તેમને દેશના વિકાસનું પાવર હાઉસ બનાવવામાં આવશે. 5 ટ્રિલિયન ડૉલર ઈકોનૉમીનું સપનું પૂર્ણ કરવાની ઊર્જા, દેશને આ પાવર હાઉસમાંથી જ મળશે.


આ પણ વાંચોઃ Budget Live: મધ્યમવર્ગને ટેક્સમાં કોઈ રાહત નહીં, અમીરો પર વધ્યો ટેક્સ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ લોકોના જીવનમાં નવી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ છે. આ બજેટ દેશને વિશ્વાસ આપી રહ્યું છે કે તેમને પુરા કરવામાં આવશે. આ વિશ્વાસ આપી રહ્યું છે કે દિશા સાચી છે, પ્રક્રિયા સાચી છે, ગતિ સાચી છે, એટલે લક્ષ્ય સુધી પહોંચવું નિશ્ચિત છે.


Whatsapp-channel Whatsapp-channel

05 July, 2019 03:02 PM IST | નવી દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK