વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 4 ભાષામાં ટ્વીટ કરીને આપી શુભેચ્છાઓ
તસવીર સૌજન્ય મિડ-ડે
આજે આખા દેશમાં મકરસંક્રાન્તિ અને પોંગલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવારે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વધામણી આપી છે. ખાસ વાત એ છે કે પીએમ મોદીએ પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ચાર ભાષાઓમાં તહેવારોની વધામણી આપી છે. પીએમ મોદીએ એક ટ્વીટ હિન્દી ભાષામાં કર્યું છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું, "દેશવાસીઓને મકર સંક્રાન્તિની ખૂબ ખૂબ વધામણી. મારી કામના છે કે ઉત્તરાયણના સૂર્યદેવ બધાના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરે."
देशवासियों को मकर संक्रांति की बहुत-बहुत बधाई। मेरी कामना है कि उत्तरायण सूर्यदेव सभी के जीवन में नई ऊर्जा और नए उत्साह का संचार करें।
— Narendra Modi (@narendramodi) January 14, 2021
Makar Sankranti greetings to everyone.
ADVERTISEMENT
પીએમ મોદીએ મકર સંક્રાન્તિની આપી વધામણી
પીએમ મોદીએ અંગ્રેજી ભાષામાં પણ ટ્વીટ કર્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "મકર સંક્રાંતિને ભારતના કેટલાય ભાગોમાં ફત્સાહ સાથે ચિન્હિત કરવામાં આવે છે. આ શુભ તહેવાર ભારતની વિવિધતા અને આપણી પરંપરાની જીવંતતા દર્શાવે છે. આ માતૃ પ્રકૃતિના સમ્માનના મહત્વની પણ પુષ્ઠિ કરે છે."
Makar Sankranti is marked with enthusiasm in several parts of India. This auspicious festival illustrates India’s diversity and the vibrancy of our traditions. It also reaffirms the importance of respecting Mother Nature.
— Narendra Modi (@narendramodi) January 14, 2021
ત્યાર પછી પીએમ મોદીએ હજી વધુ ટ્વીટ કરીને દેશવાસીઓને માઘ બિહૂ તહેવારની વધામણી આપી અને સુખ સમૃદ્ધિની કામના કરી. તેમણે ગુજરાતના લોકોને ઉત્તરાણની શુભેચ્છાઓ આપી.
தமிழ்ச் சகோதர, சகோதரிகளுக்கு இனிய பொங்கல் வாழ்த்துகள். தமிழர் பண்பாட்டின் மேன்மைகளை வெளிப்படுத்தும் மிகச் சிறந்த பண்டிகை இது. நல்ல உடல் நலமும் வெற்றிகளும் பெறுவோமாக. இயற்கையோடு இணைந்து வாழவும், கருணை உணர்வைப் பெருக்கவும் இந்தப் பண்டிகை நம்மைத் தூண்டட்டும்.
— Narendra Modi (@narendramodi) January 14, 2021
વડાપ્રધાને ટ્વિટ કરી પોંગલના તહેવાર પર અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન મોદીએ એક ટ્વિટમાં લખ્યું છે કે, "સૌને પોંગલ પર્વના અભિનંદન, ખાસ કરીને મારા તમિલ બહેનો અને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન. આ વિશેષ તહેવાર તમિલ સંસ્કૃતિનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. આપણને સારું સ્વાસ્થ્ય અને સફળતા પ્રાપ્ત કરીએ તેવા આશીર્વાદ મળે. આ તહેવાર આપણને પ્રકૃતિ સાથે સદ્દભવથી જીવન જીવવાની અને કરુણાની ભાવનાને આગળ વધારવા માટે પણ પ્રેરણાં આપે છે."
Pongal greetings to all, especially my Tamil sisters and brothers. This special festival showcases the best of Tamil culture. May we be blessed with good health and success. May this festival also inspire us to live in harmony with nature and further the spirit of compassion.
— Narendra Modi (@narendramodi) January 14, 2021
મકર સંક્રાતિ એક એવો તહેવાર છે જે જુદાં-જુદાં રાજ્યોમાં જુદાં-જુદાં નામ અને રીતે ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં આને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આને તામિલનાડુમાં પોંગલના નામે ઓળખવામાં આવે છે. આસામમાં આને માઘ બિહૂ અને ગુજરાતમાં આને ઉત્તરાયણ કહેવામાં આવે છે. પંજાબ અને હરિયાણામાં આ સમયે નવા પાકનું સ્વાગત કરવામાં આવે છે અને લોહરીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પતંગ ચગાવવાનું પણ વિશેષ મહત્વ હોય છે અને લોકો ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી પતંગબાજી કરતા હોય છે. ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે પતંગોત્સવ ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે પણ આ વર્ષે તે ઉજવવામાં આવ્યા નથી.