વડા પ્રધાન રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે, શા માટે?
સામાન્ય રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ ઑગસ્ટે લાલ કિલ્લા પર તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કરતા હોય છે, પરંતુ પહેલી વખત તેઓ ૨૧ ઑક્ટોબરે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન સુભાષચંદ્ર બોઝ પ્રણિત ‘આઝાદ હિન્દ સરકાર’ના અમૃત મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે લાલ કિલ્લા પર ધ્વજવંદનને મુદ્દે વિવાદ થવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે વિડિયો-સંવાદ દરમ્યાન વડા પ્રધાને ૨૧ ઑક્ટોબરે ધ્વજવંદનની ટીકાઓ થવાની શક્યતા દર્શાવી હતી.
ADVERTISEMENT